ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ
રાજકોટ, તા. ૧૭ : ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજરોજ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, એક સામાન્ય વ્યકિતથી સુઝ-બુઝ અને ઉત્ત્।મ કાર્યશૈલી, નિષ્ઠા તેમજ માં સરસ્વતીની અસીમ કૃપાથી ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને છેલ્લાં સાડા પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન પદે સફળ શાસન કરી રહેલ નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું નામ વિશ્વના નકશામાં ગુંજતું કર્યું છે. પોતાના શાસનકાળ દરમ્યાન લોકહિતના કાર્યો કર્યા છે તેમજ નોટબંધી રાષ્ટ્રીય સાથે સાથે આંતરરાષ્ટ્રીય નામના મેળવતા રહ્યા છે કે પછી પાકિસ્તાન ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરી તેઓ પ્રજાના દિલમાં છવાયા છે. તેમજ અતિ મહત્વના નિર્ણય એવા જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ એક ઝાટકે હટાવી વિશ્વના અનેક દેશોને પોતાની શકિતનો પરિચય આપ્યો છે. ફરી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પદાધિકારીઓએ પાઠવેલ છે.