News of Tuesday, 17th September 2019
વોર્ડ નં. ૧૩માં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં લોકોની ઉપસ્થિતિ
રાજકોટઃ આજે આજીડેમ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત આયોજીત નર્મદા નીરનાં વધામણા અને મહાઆરતી-વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમમાં વોર્ડ નં. ૧૩ કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગરની આગેવાનીમાં ખુબ મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક ઘરો સુધી નર્મદાના જળ પહોંચાડનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે તેમની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદાના નીરને બમળા જોશથી આવકાર્યા હતા. તેમ જયાબેન ડાંગરએ જણાવ્યું હતું.
(3:47 pm IST)