રાજકોટ
News of Tuesday, 17th September 2019

ગોકુલધામ સોસાયટી પાસે ગેરકાયદે બાંધકામની ફરીયાદ

રાજકોટઃ શહેરની ગોકુલધામ સોસાયટી પાસે હરીહર સોસાયટીમાં મકાનનાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ થઇ રહયાની ફરીયાદ સોસાયટીના રહેેવાસીઓએ કરી છે. છતા આ બાબતે કોઇ પગલા નહી લેવાતા તેઓએ હવે મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર પાઠવી તાત્કાલીક ન્યાયી પગલા લેવા રજુઆત કરી છે. તસ્વીરમાં ગેરકાયદે બાંધકામ થઇ રહેલું દર્શાય છે.

(3:46 pm IST)