રાજકોટ
News of Tuesday, 17th September 2019

નરેન્દ્રભાઇને જન્મદિનની શુભેચ્છા પાઠવતા ડો. કથીરીયા

દેશના વડાપ્રધાન અને વિકાસ પૂરૂષ શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૯ માં જન્મ દિવસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ અમેરીકાથી ખાસ સંદેશો પાઠવી શુભેચ્છા પાઠવતા જણાવેલ કે દેશના પનોતા પુત્ર અને વિશ્વ નેતા નરેન્દ્રભાઇના જન્મ દિવસની દેશભરમાં ગૌરવભેર ઉજવણી થઇ રહી છે. ત્યારે તેમના સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ માટે હું શુભકામના પાચઠવુ છે. નરેન્દ્રભાઇએ ટુંકાગાળામાં ભારતને વિશ્વના નકશામાં સ્થાન અપાવ્યુ તેનું ગૌરવ દેશવાસીઓના હૈયે છે.

(3:39 pm IST)