રાજકોટ
News of Tuesday, 17th September 2019

મહાઆરતી તથા વૃક્ષારોપણ અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સ્થળની મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે નમામિ દેવી નર્મદે મહોત્સવ, નર્મદા નીરના વધામણા, મહાઆરતી તથા વૃક્ષારોપણ અંતર્ગત યોજાનાર કાર્યક્રમની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમને ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા તથા અધિકારીશ્રીઓ. પદાધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમ સ્થળની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને અધિકારીશ્રીઓ તથા એજન્સીને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી.

(3:38 pm IST)