પ્રબુધ્ધ નાગરિકો સાથે ગજેન્દ્રસિંહની ગોષ્ઠિ
પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી સમયમાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે. તા. ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં એક વ્યાપ,ક જનજાગૃતિ અભિયાન અને સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજકોટ મહાનગર ખાતે શહેરના અગ્રગણ્ય નાગરીકો જયોતીન્દ્રભાઇ દવે (જયોતીન્દ્રમામા), મુકેશભાઇ મલકાણ, ડો. જીતેન્દ્ર અમલાણી, નરેશભાઇ દવે, ગૌરવીબેન ધ્રુવ, પરષોતમભાઇ પીપળીયા, કેતનભાઇ વસા, ડી. વી. મહેતા, રાહુલભાઇ મહેતા સાથે સંપર્ક કર્યોહ તો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, માંધાતાસિંહ જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.