'હેલ્લો દુરદર્શન'માં કાલે 'મતદાર સુધારણા યાદી'માં નામ ઉમેરાવા અંગે માર્ગદર્શન
રાજકોટ તા. ૧૭ : મતદાર સુધારણા યાદીમાં નામ અને અન્ય વિગતોમાં ફેરફાર કરવા વિષે જીવંત માર્ગદર્શનનો એક કાર્યક્રમ દુરદર્શન કેન્દ્ર રાજકોટ પર કાલે મંગળવારે સાંજે પ વાગ્યે પ્રસારીત થશે. લાઇવ ટેલીકાસ્ટ 'હેલ્લો દુરદર્શન' માં કાલે તા.૧૭ ના સાંજે પ વાગ્યે પ્રસારીત થનાર આ કાર્યક્રમ દરમિયાન દર્શકો દ્વારા પુછાયેલા સવાલોના જવાબો ડે. કલેકટર અને નાયબ જીલ્લા ચુંટણી અધિકારી રાજકોટ શ્રી ધાધલ દ્વારા અપાશે. સૌરાષ્ટ્રના જગૃત મતદારો અને નાગરિકોએ માર્ગદર્શન માટે 'હેલ્લો દુરદર્શન' કાર્યક્રમ દરમિયાન સવાલો પુછવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩૫૫૧૭ અથવા ૧૮૦૦ ૨૩૩૯૭૨૪ ઉપર પછી શકશે. તેમજ મતદાર સુધારણા યાદીમાં નામ અને અન્ય વિગતોમાં ફેરફાર કરવાની વિધિ વિષે માર્ગદર્શન અપાશે. કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે. જયારે નિર્માણ આસીફ ઠેબાનું છે. (૧૬.૨)