રાજકોટ
News of Tuesday, 17th September 2019

૧૩ પીઆઇની બદલીઃ રાજકોટના વી.વી. ઓડેદરા ભાવનગર, ગાંધીનગરથી બી.પી. સોનારા રાજકોટમાં

મોરબીના એમ.આર. સોલંકી અને એમ.એન. સાટીને વડોદરા-જામનગર ખાતે બદલવામાં આવ્યાઃ ગાંધીનગરથી પી.બી. ગઢવી મોરબીમાં

રાજકોટ તા. ૧૭: રાજ્યના ૧૩ બિનહથીયારી પોલીસ ઇન્સ્પેકટર્સની બદલીના હુકમો થયા છે. જેમાં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી. વી. ઓડેદરાની ભાવનગર ખાતે બદલી થઇ છે. તો અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ ગાંધીનગર સીઆઇડી ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવતાં પી.આઇ. બી.પી. સોનારાને રાજકોટ મુકવામાં આવ્યા છે.

અન્ય બદલીઓમાં સુરતના એમ. પી. પટેલને નવસારી, ખેડાના યુ. એ. ડાભીને સુરત, મહેસાણાના ડી. બી. મહેતાને અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર સીઆઇડીના પી. બી.ગઢવીને મોરબી, એમ.વી. પટેલને સુરત શહેર, મોરબીના એમ.આર. સોલંકીને વડોદરા શહેર, મોરબીના એમ. એન. સાટીને જામનગર, કચ્છ-પશ્ચિમ ભુજના એમ. જે. જલુને જામનગર તેમજ પોરબંદરના પી.ડી. દરજી, બોટાદના જે. વી. રાણા અને કચ્છ-પુર્વ ગાંધીધામના જે. પી. જાડેજાને અમદાવાદ શહેર ખાતે બદલવામાં આવ્યા છે. પોલીસ મહાનિરિક્ષક નરસિમ્હા કોમરે તમામ પીઆઇને બદલીના સ્થળે તાત્કાલીક હાજર થવા હુકમ કર્યો છે. (૧૪.૬)

(12:15 pm IST)