રાજકોટ
News of Monday, 17th September 2018

'રાજકોટ કા મહારાજા'ની ભાવપૂર્ણ આરતી કરતા વિજયભાઈ રૂપાણી

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિ દ્વારા યાજ્ઞિક રોડ ખાતે આયોજીત ''રાજકોટ કા મહારાજા'' ગણેશોત્સવમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આગમનની સાથે જ પંડાલમાં ''હર હર મહાદેવ''ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. ત્યારબાદ તેઓના હસ્તે વિઘ્નહર્તા શ્રી ગજાનની ભાવપૂર્ણ આરતી કરી હતી. ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ શ્રી તેજસભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર દરરોજ ભાવિકો લાભ લ્યે છે. મુખ્યમંત્રીશ્રી સાથે તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી બ્રહ્મ યુવાનોના માર્ગદર્શક નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ કમિશ્નર શ્રી ખત્રી,, ડેપ્યુટી કમિશ્નર ઝોન -૨ના મનોહરસિંહ જાડેજા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, લાખાભાઈ સાગઠીયા, લીનાબેન શુકલ, કાશ્મીરાબેન નથવાણી, ધનસુખભાઈ ભંડેરી સહિતના અગ્રગણ્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી જનાર્દનભાઈ આચાર્ય, જે.પી. ત્રિવેદી, સુરેશભાઈ મહેતા, કમલેશભાઈ જોષી, અશોકભાઈ દવે, સુરેશભાઈ દવે, મયુરભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે કન્વીનર વિશાલ આહ્યા, સહકન્વીનર જય પુરોહિત તથા શ્રી દિલીપ જાની, મયુર વોરા, ચિરાગ મહેતા, યજ્ઞેશ ભટ્ટ, નિરવ ત્રિવેદી, અશોક મહેતા, વિશાલ ઉપાધ્યાય, ભરતભાઈ ધ્રુવ, હિમાંશુ ત્રિવેદી, અર્જુન શુકલ, ધ્રુવ કુંડલ, કૃણાલ શીલુ, અશોક ઉપાધ્યાય, ભાવીનભાઈ રાવલ, અક્ષય શીલુ, રોહિત સોની, ધર્મેશભાઈ ભટ્ટ, રાજ ત્રિવેદી, પરેશ રાવલ, હિમાંશુભાઈ લખલાણી, રૂચિક જાની, પ્રશાંત વ્યાસ, મીત ભટ્ટ, હિરેન શુકલ, મંથન આચાર્ય, પૂર્વાધ વ્યાસ, નિશાંત પુરોહિત, જીજ્ઞેશ પંડ્યા, શુભમ જાની, મનન ત્રિવેદી, પ્રેરક રાવલ, નૈતિક જોષી, કિશન જોષી, રાજન ત્રિવેદી, ચિંતન પંડિત, મેહુલ ભટ્ટ, પ્રદિપ બોરીસાગર, મીત જાની અને બાપા સીતારામ ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:37 pm IST)