સાર્વજનીક ગણેશ ઉત્સવઃ મુખ્યમંત્રીના હસ્તે આરતી- પૂજા
રાજકોટઃ શહેરના રૈયા ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સામે સાર્વજનીક ગણપતિ મહોત્સવમાં ગઈકાલે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ આરતીનો લાભ લીધો હતો. ગઈકાલે બાળકો માટે ચિત્ર રંગપૂર્ણ હરીફાઈ યોજાય હતી. ૧ થી ૬ બાળકોને વિશેષ પુરસ્કાર તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહીત ઈનામ આપવામાં આવ્યા હતા. કાલે રવિવારે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે. મુખ્યમંત્રી શ્રી સાથે શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી રાજુભાઈ ધ્રુવ, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી તથા પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ , ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. રાજુભાઈ જુંજાની આગેવાની હેઠળ આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ કુકડીયા, જલદીપ ટાંક, નિરજ ટાંક, પાર્થ ચગ, હિરેન દુધાત્રા, નયન ધોળકીયા, સાવન પંડ્યા, અલ્પેશ અસ્વાર, વિજય દાવડા, હર્ષિત લખતરીયા, કરન જુંજા, જયદીપ મારૂ, મનોજ ઝાપડીયા, પવન ચાવડા, અમિત જાદવ, કલ્પ કાનાણી, જેસલ પરમાર, હેનીલ ગોસાઈ, શુભમ વાઘેલા, દર્શન સોલંકી, સંજય ઝાપડીયા, પ્રિત ડાંગરીયા, મીરાબેન ડોબરીયા, સોનલબેન ડાંગરીયા, મયુરીબેન જુંજા, નવીનભાઈ ગોરડીયા, ધીરૂભાઈ રાચ્છ, સુરેશભાઈ ડોબરીયા, વિજય પુરોહીત, મહેશભાઈ લખતરીયા, અર્જુનભાઈ મેર, નીલેષભાઈ ઠુંમર વિગેરેએ જહેમત ઉઠાવી હતી.