News of Wednesday, 17th August 2022
લમ્પી વાયરસ ભાગોઃ ગૌમાતાના રક્ષણ માટે શ્રી શિવસાંઇધામ મંદિરે યજ્ઞ
રાજકોટઃ અહિંના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટનો સામે આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રીશિવસાંઇધામ મંદિરે ગૌમાતાને લમ્પી વાયરસના રોગથી બચાવવા અને ગાયોના રક્ષણ માટે આયોજીત ગૌરક્ષા યજ્ઞમાં ૫૧૦૦ બિલીપત્ર અને ૫૫૧ બિલા (બિલીપત્રનું ફળ)નો યજ્ઞ યોજાયેલ. આ ઉપરાંત નિજ મંદિરે ગત સોમવારે બારજયોતિર્લીગના દર્શનનો સંકડોશિવભકતોએ લાભ લીધો હતો તેમ શાસ્ત્રી શ્રી વિનોદભાઇ એસ.ત્રિવેદી (મો. ૯૯૭૯૧ ૦૫૧૧૪)એ જણાવ્યુ હતુંં.
(4:23 pm IST)