News of Friday, 17th August 2018
ભગવતીપરામાં યુપીની સોનમતિનો સળગીને આપઘાતઃ પતિ પણ દાઝયો
દસ માસનો પુત્ર મા વિહોણો થતાં અરેરાટી
રાજકોટ તા. ૧૭: ભગવતીપરા શિવાજી ચોક પાસે રહેતી સોનમતિ ઉર્ફ સોની સુરેશ રામ (ઉ.૨૧) નામની ઉત્તર પ્રદેશની પરિણીતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ રાત્રીના પોણા દસેક વાગ્યે સોનીએ અગ્નિસ્નાન કરી લેતાં બહારથી આવેલા તેના પતિ સુરેશ હરિભજન રામ (ઉ.૨૪) તેને ઠારવા જતાં તે પણ થોડો દાઝી ગયો હતો. સોનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્યું હતું. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં દસ માસનો એક પુત્ર છે જે મા વિહોણો થયો છે. ત્રણ ચાર દિવસથી સોની બિમાર રહેતી હોઇ કંટાળી ગયાનું તેના પતિએ જણાવ્યું હતું. બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાકરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:35 pm IST)