વીર શહિદ હમીરસિંહજી ગોહિલની પ્રતિમા મુકવા અને સર્કલના નામકરણના નિર્ણયને વધાવતા વોર્ડ નં.૧ના ક્ષત્રિય સમાજના આગેવાનો
વોર્ડ નં.૧૦ માં ચંદ્રશેખર આઝાદ ઉધાનની બાજુમાં આવેલા નાથબાવા સ્મશાન સામેના સર્કલમાં વીરશહિદ હમીરસિંહજી ગોહિલની પ્રતિમા મુકવા તથા સર્કલનું નામકરણ વીર શહિદ હમીરસિંહજી ગોહિલ સર્કલ કરવા અંગે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયા દ્વારા ગઇકાલે જયુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં રજુ કરાયેલ ઠરાવ સર્વાનુમને મંજુર કરાતા આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા વોર્ડ નં. ૧ ના ક્ષત્રીય સમાજના આગેવાનોએ ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયા તથો શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ જોષીને ભાજપ કાર્યાલયે રૂબરૂ મળી અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. તસ્વીરમાં વોર્ડ નં.૧ના ક્ષત્રીય સમાજના આગેવાનો કોર્પોરેટર દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, એડવોકેટ રાજભા એચ. ઝાલા (ગુંદાળા) વોર્ડ નં.૧ના ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા (તાળી સણોસરા) વોર્ડ નં.૧ના ભાજપના મહામંત્રી જયરાજસિંહ જાડેજા (હડમતીયા) દેવેન્દ્રસિંહ ઝાલા (ઇંગોરાળા), પ્રવિણસિંહ ઝાલા (નેકનામ), ઇન્દુભા જાડેજા (પડાણા), મહેન્દ્રસિંહ જાડેજા (ઇટાળા), રાજેન્દ્રસિંહ જાડેજા, (વચલી ઘોડી), ભગવતસિંહ જાડેજા (ખાખલાબેલા), ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા શકિતસિંહ જાડેજા સહિતના આગેવાનો મેયર બિનાબેન આચાર્ય તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીને શુભેચ્છા પુષ્પગચ્છ અર્પ કરતા નજરે પડે છે.