ભારત-તિબ્બત સંઘના યુવા વિભાગના મહામંત્રી પદે રાહુલ કુંઢીયાની વરણી
રાજકોટ, તા.૧૭: ભારત-તિબ્બત સંઘના સહસંયોજક-મિડીયા-આઇ.ટી. (ગુજરાત પ્રાંત),ની યાદી મુજબ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ)ની વિચારધારા ધરાવતા પ્રબુધ્ધ પ્રતિનિધિઓ દ્વારા ભારત-તિબ્બત સંઘ જેનો ઉદેશ તિબ્બતનું સમર્થન અને આઝાદી માટે અને કૈલાસ માનસરોવરની મુકિત અને રાષ્ટ્રીય સુરક્ષા માટે લોકજાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્રવાદ માટે કાર્યરત છે. વર્તમાનમાં ભારત-તિબ્બત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતની સુપ્રિમ કોર્ટના સેવા નિવૃત ન્યાયાધીશ જ્ઞાનસુધ્ધા મિશ્રા અને મહામંત્રી તરીકે રાજસ્થાન હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સૌરભ સારસ્વત છે. ભાવેશ જોષી (બાપજી) પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રાંત અને ડો.મૃણાલીની ઠાકર પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ ગુજરાત પ્રાંત, રાજકોટ મહાનગર અધ્યક્ષ યોગીનભાઇ છનીયારા, યુવા વિભાગ રાજકોટ મહાનગર અધ્યક્ષ ભવદિપ ત્રિવેદી અને ગુજરાત પ્રાંતની સહમતી દ્વારા રાજકોટ યુવા વિભાગના મહામંત્રી તરીકે રાહુલભાઇ કાંતિલાલભાઇ કુઢીયાની નિમણુંક કરવામાં આવી છે.
રાહુલાભાઇ કાંતિલાલ કુંઢીયા, એમ.એસ.ડબલ્યુ.નો અભ્યાસ કર્યો છે. સમાજ સેવા, રાષ્ટ્રીય સેવા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ખાતે શીશુકાળથી જોડાયેલ છે અને હાલ સંઘમાં કાર્યરત છે. તેમની નિમણુંકને નીખીલભાઇ ભઘ્ટ્ટ, શ્રીમતી ડો.રીનાબેન દવે, શ્રીમતી દિવ્યાબેન ભટ્ટ, ડો.અર્જુન દવે, લતાબેન ચૌહાણ, પી.ડી.ઠાકર, ડો.વિજયભાઇ પીઠડીયા, ડો. જે. આર મકવાણાએ આવકારી અભિનંદન શુભેચ્છા પાઠવેલ છે.