રાજકોટ
News of Friday, 17th May 2019

'સૌની યોજના'ના નામે રાજકોટવાસીઓની બનાવટઃ અવારનવાર પાણીકાપઃ વિપક્ષી નેતાનો આક્ષેપ

રાજકોટઃ. આજે નર્મદા પાઈપલાઈન તૂટતા વોર્ડ નં. ૧૮માં સર્જાયેલ પાણીના ધાંધીયા સંદર્ભે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ શાસક પક્ષ ભાજપ સામે આક્ષેપો કરતા એક નિવેદનમાં જણાવ્યુ છે કે, શાસકોએ સૌની યોજનાના નામે રાજકોટવાસીઓની બનાવટ કરી છે કેમ કે અવારનવાર આ પ્રકારે ટેકનીકલ ખામીઓ સર્જાય છે અને કેટલીક વખત ખોટા બહાના હેઠળ ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવાય છે ત્યારે શહેરીજનોને નિયમીત ૨૦ મીનીટ દરરોજ પાણી નહિ મળે તો આ મુદ્દે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી શ્રી સાગઠિયાએ નિવેદનના અંતે ઉચ્ચારી છે.

(3:25 pm IST)