રાજકોટ
News of Thursday, 17th May 2018

સીતારામ તથા બજરંગ સોસાયટીમાં પેવરકામ

વોર્ડ નં.૪માં મોરબી રોડ પર આવેલ સીતારામ સોસાયટી તથા બજરંગ સોસાયટીમાં પેવરકામનું ખાતમુહુર્ત વોર્ડ નં.૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરિયા, સીતારામ સોસાયટી તથા બજરંગ સોસાયટીના પ્રમુખ તથા રાજકોટ શહેર અનુસુચિત જાતિના ઉપપ્રમુખ જેન્તીભાઈ ધાંધલ (જે.ડી), વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, વોર્ડ મહામંત્રી સિ.ટી. પટેલ, કાનાભાઈ ડંડૈયાના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે મહેશ મિયાત્રા, લલીતભાઈ ઘેટીયા, રવી ગોહિલ, જમનાદાસ વિસરીયા, અનિલ શ્રીમાળી, પ્રવિણભાઈ ગોરસદીયા, કિશોરભાઈ પિત્રોડા, જાની અદા, સંજય વ્યાસ, જેન્તીભાઈ બોરીયા, રાઘવભાઈ માલી, રણછોડભાઈ ઉધરેજા, માલી વીસાભાઈ, માલી વેલજીભાઈ, માલી રાધાભાઈ, માલી કુંભાભાઈ, દેવજીભાઈ નામેરી, વેલજીભાઈ નામેરી, ભાનુબેન ધાંધલ, ગંગામાં સોલંકી, મુકતાબેન માલી, મંજુબેન બહુકિયા, રમીલાબેન માલી, મંજુબેન પંચાલ, વાલીબેન ચાવડા, પાર્વતીબેન પરમાર, જાગૃતિબેન પરમાર, ગણેશદળના સભ્યો તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૭)

(4:15 pm IST)