મેઘવાળ સમાજના સમુહલગ્નઃ ૨૧ દિકરીઓના પ્રભુતામાં પગલા
રાજકોટઃ અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે મેઘવાળ સમાજના સાતમાં સમુહલગ્નનું આયોજન કરાતા ૨૧ દિકરીઓએ સુખી સંસારની કેડીએ પગલા પાડ્યા હતા. સંતો- મહંતો અને સમાજ અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વાદ આપેલ. તમામ કન્યાઓને દાતાઓના સહયોગથી જીવનજરૂરી વસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઈ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક પ્રમુખ વશરામભાઈ સાગઠીયા, બિપીનભાઈ કે.સાગઠીયા, કાર્યાલય કમીટિ, હિરાલાલ બી.પરમાર, નરેશભાઈ જે.પરમાર, વશરામભાઈ ચાંડપા, અરવિંદભાઈ મુજકીયા, વિનુભાઈ પરમાર, બાબુભાઈ ડાભી, નરેશભાઈ પરમાર, જગદીશભાઈ કે.ડાંગર, હેમંતભાઈ સોઢા, સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં મેઘવાળ સમાજના નવવિવાહિત યુગલો અને આશીર્વચનો આપતા સંતો મહંતો- આગેવાનો નજરે પડે છે.