જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી હરગોવિંદભાઇ વ્યાસના નિધનથી મોટી ખોટ
શ્રધ્ધાંજલી પાઠવતા નીતિન ભારદ્વાજ, ઘનસુખ ભંડેરી, કમલેશ મીરાણી
રાજકોટ, તા. ૧૭ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ગુજરાત મ્યુનિસિપલ ફાય. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ તથા મહામંત્રી જીતુભાઇ કોઠારી અને કિશોર રાઠોડ સહિતના ભાજપ અગ્રણીઓએ જુના જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન એવા હરગોવિંદભાઇ વ્યાસને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે હરગોવિંદભાઇ વ્યાસ વર્ષાથી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ એક કર્મઠ કાર્યકારી તરીકે હરહંમેશ લોકો સેવા કરી છે.
મ.ન.પા.માં ડે. મેયર પદે તેમજ ત્યાર 'રૂડા'માં ચેરમેન પદે રહી લોકસવાનાં અનેક કાર્યો સીધ્ધ કર્યા છે. ત્યારે સદ્ગત હરગોવિંદભાઇના અવસાનથી સમાજને અને પાર્ટીને એક લોકસેવકની ખોટ પડી છે. ઇશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે તેમજ તેઓનાં પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની હિંમત આપે એજ પ્રાર્થના.