રાજકોટ
News of Saturday, 17th April 2021

રાજકોટના મહિલા અગ્રણી નિરાળુ વ્યકિતત્વ ધરાવતા

જયશ્રીબેન રાવલ કોરોના સામેનો જંગ હારી ગયાઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજકોટના મહિલા અગ્રણી, સામાજીક, ધાર્મિક ક્ષેત્રે અનેરૂ પ્રદાન કરનારા શ્રીમતી જયશ્રીબેન કિર્તિભાઇ (કુમારભાઇ) રાવલ કોરોના સામેનો જંગ હારી જતા તા.૧પના ગુરૂવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા તેમનું નિધન થતા સમાજમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે તેમની ઉંમર ૬૯ વર્ષની હતી. ચાર દિવસ પૂર્વે જયશ્રીબેનને કોરોના પોઝીટીવ આવતા પંચનાથ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ડોકટરોની ટીમે સઘન સારવાર કરવા છતા તા.૧પના તેમનું નિધન થયું

ધર્માનુંરાગી, સરળ, મળતાવડો સ્વભાવ ધરાવતા જયશ્રીબેનનું વ્યકિતત્વ નિરાળુ હતું ‘‘નુતન સૌરાષ્ટ્ર’’ પરિવારના આ સભ્યની વિદાયથી પરિવારમાં, મિત્રો, સ્નેહીજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.

સ્વ. જયશ્રીબેનઍ રાજકોટમાં સર્વપ્રથમ બાળકો માટે ‘જાય અનેહાઉસ’ ની સ્થાપના કરી હતી.વર્ષો સુધી પ્લે હાઉસની સફળતા પૂર્વક જવાબદારી નિભાવીને બાળકોને શિક્ષણ સાથે સંસ્કારથી સમૃદ્ધ કર્યા હતા.

સ્વ.જયશ્રીબેન શિક્ષણ પ્રેમી શરૂઆતથીજ હતા તથા તેમને નાના ભૂલકાઓ ખૂબજ ગમતા હતા. તેઓ સેન્ટમેરી સ્કુલ, સેન્ટકર્વે, ઍસ.ઍન.કે.સ્કુલ સાથે સંકળાયેલા હતા તેઓ ભાજપ શહેર મહિલા મોરચાના કારોબારી સભ્ય હતા તથા વોર્ડ નં.૭ના ભાજપના ભૂતપૂર્વ મહિલા પ્રમુખ તેમજ સરગમ ચિલ્ડ્રન કલબના પ્રમુખ રહ્યા હતા. તેમની વિદાયથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

સ્વ. જયશ્રીબેન કિર્તિભાઇ રાવલનું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬-૩૦ ટેલીફોનીક બેસણું રાખેલ છે કિર્તિભાઇ રાવલ (૯૪ર૮૦ ૩૭૪૬૩), ડિમ્પલબેન રાજેશભાઇ ધાબલીયા (૭પ૬૭પ ર૮૬પ૩), તથા બિન્દુબેન વિપુલભાઇ ત્રિવેદી (૯૮રપ૯ ર૯૯૯૭)

(11:51 am IST)