રાજકોટ
News of Tuesday, 17th April 2018

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના આંગણે સમુહ વર્ષિતપના પારણા

રાજકોટ તા. ૧૭ : શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના આંગણે સમુહ વર્ષીતપના પારણાનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સંપ્રદાયના પૂ.પ્રાણ - રતિ - મુકત - લીલમ સન્મતિ ગુરૂણીના સુશિષ્યાઓ પૂ.સુનિતાબાઇ સ્વામી તથા પૂ.શ્વેતાંશીબાઇ સ્વામી તા. ૧૭-૧૮ને મંગળવાર અને બુધવારે શ્રી રોયલપાર્ક સ્થા.જૈન ઉપાશ્રયે ચંદ્રકાંતભાઇ શેઠની ભાવભરી વિનંતીને માન આપી વર્ષીતપના પારણા પ્રસંગે પધારશે તો વ્યાખ્યાન - વાણીનો લાભ લેવા વિનંતી. કળશ પ્રત્યાખ્યાન, આલોચના તથા વ્યાખ્યાન મંગળવારે સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ અને બુધવારે ૧૧-૩૦ કલાકે તપસ્વીઓના પારણા રાખવામાં આવેલ છે.

સંઘાણી સંપ્રદાયના જય વિજય પરિવારના પૂ.સાધનાબાઇ મહાસતીજી તપસ્વીને આર્શિવાદ આપવા પધારશે. સંઘના આયોજનમાં ચંદ્રકાંતભાઇ શેઠની આગેવાની હેઠળ અશોકભાઇ મોદી, ટી.આર.દોશી અને બંને મહિલા મંડળોના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘની સ્થાપના બાદ છેલ્લા ૨૩ વર્ષથી સમુહ વર્ષીતપના પારણા દર વર્ષે કરવામાં આવે છે. આ વખતે પણ સી.એમ.પૌષધશાળા - ઓમાનવાળા ઉપાશ્રયમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.(૪૫.૪)

(4:36 pm IST)