રાજકોટ
News of Tuesday, 17th April 2018

બાળકીઓ પર બળાત્કાર... કયાં છે ભાજપ મહિલા મોર્ચો?: કોંગ્રેસના જાગૃતિબેન ડાંગરે કેન્ડલ માર્ચ યોજી

રાજકોટ : દેશનાં ઉન્નાવ-કઠુવા-સુરતમાં બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ સામે વિરોધ દર્શાવવા વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે ગઇ સાંજે વોર્ડની બહેનો સાથે કેન્ડલ માર્ચ યોજી અને ભાજપ સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો. આ તકે જાગૃતિબેને એક નિવેદનમાં જણાવ્યું છે કે ''ગુજરાતમાં બહેનો સલામત છે. તેવાં નિવેદનો કરનાર ભાજપનાં નેતાઓ બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનામાં કેમ ચૂપ છે ? ર૦૧૭માં ૪૯ર બાળકીઓ પર બળાત્કાર થયા આજે રપ૧૪ બાળકોનાં અપહરણ થયા છે. ત્યારે કયાં છેે ભાજપ મહિલા મોર્ચાના બહેનો ? તેવો અણીયારો સવાલ જાગૃતિબેને આ તકે ઉઠાવ્યો છે. (૯.૧પ)

(4:18 pm IST)