રાજકોટ
News of Tuesday, 17th April 2018

IIM અમદાવાદની મુલ્યાંકન પ્રક્રિયામાં કાબેલીયત પુરવાર કરતો ધવલ પરમાર

રાજકોટ તા. ૧૭ : કેટ જેવી પરીક્ષાઓ સફળતાપૂર્વક ઉતીર્ણ કરી આઇઆઇએમમાં પ્રવેશ મેળવવા અનેક વિદ્યાર્થીઓ ઉત્સુક હોય છે. ત્યારે રાજકોટમાં આ પરીક્ષાઓનું પધ્ધતીસરનું માર્ગદશન પુરી પાડતી સંસ્થા એન્ડયોવરના ધવલ પરમારે આઇઆઇએમ અમદાવાદ મૂલ્યાંકન પ્રક્રિયામાં કાબેલીયત પુરવાર કરી બતાવતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

ધવલ પરમારે જણાવેલ કે આમતો મે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જુનાગઢમાં મેળવ્યુ હતુ. બાદમાં બીએચએમએસમાં પ્રવેશ મેળવી હોમિયોપેથીક શરૂ કર્યુ અને સાથે રાજકોટની એન્ડીયોવર સંસ્થામાં પણ જોડાયો. જેથી મેનેજમેન્ટનું પુરૂ જ્ઞાન મળે.

એન્ડીયોવર કેરીયર્સ સેન્ટર પર અભ્યાસક્રમ, ભાષાલક્ષી માર્ગદર્શન અને જે જે ટીપ્સ અપાતી ગઇ તેને ફોલો કરતો ગયો. મારી માતૃભાષા ગુજરાતી હોવા છતા આગળ કોઇ તકલીફ ન પડે તેનું પુરૂ માર્ગદર્શન મને આ સંસ્થામાંથી મળ્યુ અને સાચે જ મે આઇઆઇએમ અમદાવાદની મુલ્યાંકન પ્રક્રિયા યોગ્ય રીતે ઉતીર્ણ કરી બતાવતા અનહદ આનંદ અનુભવુ છુ. તેમ ધવલ પરમારે જણાવેલ.

કેટ જેવી પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ અને વાટની સંપૂર્ણ તૈયારી કરવા એન્ડીયોવર સેન્ટરનો પુર્ણ સહયોગ મળ્યાની ખુશી તેણે વ્યકત કરી હતી.

કાલાવડ રોડ, રાજકોટ ખાતે આવેલ એન્ડીયોવર સેન્ટર (મો.૭૨૨૮૦ ૦૮૪૩૪) ના ડીરેકટર અલય શાહે જણાવેલ કે અમારે ત્યાં અત્યાધુનિક સુવિધાઓથી સજજ વર્ગખંડમાં પધ્ધતીસર અને ટેકનોલોજીકલ શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાના ૨૨ જેટલા રાજયોમાં સેન્ટર છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરિણામલક્ષી તાલીમ આપવાની સંસ્થાની નેમ રહી છે.

તસ્વીરમાં કેટ ઉતીર્ણ કરી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેમેન્ટમાં પ્રવેશ મેળવનાર ધવલ પરમાર અને સાથે એન્ડીયોવર સેન્ટરના અલય શાહ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(2:46 pm IST)