કાલે અંબિકા ટાઉનશીપમાં કાનગોપી
બામણાસા ગીરની પ્રખ્યાત રાધે કાન ગોપી મંડળી જમાવટ કરશે : રકતદાન કેમ્પનું પણ આયોજન
રાજકોટ, તા. ૧૬ : વીવાયઓ અને અંબિકા ટાઉનશીપ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૧૭ના મંગળવારે સાંજના ૮:૩૦ વાગ્યાથી કસ્તુરી એવીપરીની સામેની બાજુમાં, કસ્તુરી મેઈન રોડ, અંબિકા ટાઉનશીપ ખાતે કાનગોપીનો કાર્યક્રમ રાખેલ છે.
સાથોસાથ રકતદાન કેમ્પનું પણ આયોજન થયુ છે. જેમાં વધુને વધુ રકતદાતાઓએ રકતદાન કરવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઈ ફળદુ અને બાનલેબવાળા શ્રી મૌલેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા છગનભાઈ સોભાસણા, ફર્નાન્ડીઝ પાડલીયા બ્રિજેશભાઈ રોજીવાડીયા, રમણીકભાઈ, નિમેષભાઈ, પ્રશાંતભાઈ, અજયભાઈ, ધવલભાઈ જગોદરા, પારસભાઈ, નીલભાઈ, કેવલભાઈ, દિપલભાઈ, ગીરીશભાઈ વડાલીયા, શીરીષભાઈ, હરીભાઈ મેંદપરા, મયંકભાઈ ભીમાણી વિ. જોડાયા છે. વધુ વિગતો માટે મો.૯૦૯૯૯ ૫૫૦૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૦)