રાજકોટ
News of Monday, 16th April 2018

યુવા ભાજપ દ્વારા સામાજીક સમરસતા સંમેલન સાથે આંબેડકરજીને વંદના

 સામાજીક અસમાનતા દુર કરી દલિતોને તેમના અધિકાર અપાવનાર મહામાનવ ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે શહેર યુવા ભાજપ દ્વારા તેમની પ્રતિમાને ફુલહાર કરી વંદના કરવામાં આવી હતી. આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથો સાથ અનુસુચિત જાતિ મોરચના કાર્યકરો સાથે ટીફીન ભોજન લઇ સમરસતા સાર્થક કરવામાં આવી હતી. યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, કમલેશ મીરાણી, મહિલા મોરચાના શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજુભાઇ અધેરા, ડી. બી. ખીમસુરીયા, ગૌતમ ગોસ્વામી, નીતીન ભુત, વી. એમ. પટેલ વગેરેએ ઉપસ્થિત રહી ભાવવંદના કરી હતી. (૧૬.૬)

(4:20 pm IST)