માધાપરના ઈશ્વરીયા મંદિરે રાવલ પરીવારના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપતા વિજયભાઈ
રાજકોટ : માધાપર ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પંકજભાઈ પ્રદિપભાઈ રાવલને ત્યાં ગઈકાલે પારીવારીક ધાર્મિક કાર્યક્રમ ઈશ્વરીયા મહાદેવ મંદિરે માધાપર ખાતે યોજાયેલ. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીમતી અંજલીબેન રૂપાણી, ઈન્ડિયન લો કમિશનના મેમ્બર શ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે પૂર્ણ સમય ફાળવી એક પરીવાર ભાવનાથી હાજરી આપી ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા અને મંત્રોચ્ચાર દ્વારા અભિષેક કર્યા હતા. આ કાર્યક્રમ ફકત રાવલ પરીવારનો હોય માત્ર પરીવાર સદસ્યો સાથે મુખ્યમંત્રી શ્રી જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ધાર્મિક પારીવારીક કાર્યક્રમનો લાભ લીધો હતો. બ્રહ્મસમાજ અગ્રણીઓ રાવલ પરીવારના કાર્યક્રમમાં આવેલ. તેઓનો પંકજભાઈ પ્રદિપભાઈ રાવલે આભાર માનેલ.(૩૭.૧૭)