રાજકોટ
News of Monday, 16th April 2018

કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાએ હોબાળા બાદ વિવાદી પરીપત્ર રદ કર્યો

પ્રવકતાપદેથી વિવાદીત પાઠકની પણ વિદાય પણ નિશ્ચત

રાજકોટ તા.૧૬ : વિવાદમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાએ અમલી બનાવેલ પરીપત્ર પરત મેળવવાનો સીલસીલો યથાવત રાખેલ છે.

ભવનના વડાઓને મીડીયા સાથે વાત નહી કરવાના પરીપત્રનો આજે પત્રકારોના વિરોધને પગલે તાત્કાલીક અસરથી પરત ખેંચાયો છે. અને વિવાદીત વ્યકિત્વ ધરાવતા કિરીટ પાઠકને પ્રવકતા બનવાના નિર્ણય બાદ હવે પાઠકની વિદાય પણ નિશ્ચીત બની છે.(૬. ૨૦)

 

(4:06 pm IST)