રાજકોટ
News of Monday, 16th April 2018

સ્વામિનારાયણ વિદ્યાપીઠ - ફરેણી ખાતે ડો.આંબેડકર જયંતિની ઉજવણી

ધોરાજીઃ શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી, જિલ્લો રાજકોટ ખાતે ઉલ્લાસપૂર્વક ડો.ભીમરાવ આંબેડકરનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂ.શાસ્ત્રી સ્વામિ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, અક્ષરવલ્લભદાસજી સ્વામિ, સાધુ હરિચરણદાસ સ્વામિ, પાર્ષદરામદાસ ભગત, એડમીનીસ્ટ્રેટર મહેશ ટાંક તથા પ્રિન્સિપાલ શ્રીનિવાસ મડડી સર, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાપીઠના સંતો દ્વારા ડો.ભીમરાવ આંબેડકરનું ફુલ દ્વારા પૂજન કરી તેમની અમૃતવાણીથી બાળકોને તેમનું જીવન ચરિત્ર, એમનો સંઘર્ષ, શિક્ષા, સિધ્ધીઓ, સમાજ માટે સંવેદના અને ભારતના બંધારણની રચનામાં એમનું યોગદાન વિશેની વાત કરી હતી.  એડમીનીસ્ટ્રેટર મહેશ ટાંક, પ્રિન્સીપાલ શ્રીનિવાસ સર તથા શિક્ષકોએ બાળકોને એમના જીવન ચરિત્ર અને ભારતના બંધાણ માટે આપેલ યોગદાનનું પ્રેરણાદાયી પ્રવચન આપી બાળકોને માહિતગાર કર્યા તે પ્રસંગની તસ્વીર.

(1:58 pm IST)