ગ્રાહક સુરક્ષા પ્રવૃતિ સંકલન બોર્ડમાં રામાબેન માવાણીની બિનહરીફ વરણી
રાજકોટ તા. ૧૬ : ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓના સંચાલન માટે 'કન્ઝયુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગજરાત (કાપાગ)' ની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારના આઠ ઓફીસરો અને ચાર બીનસરકારી ચુંટાયેલા સદસ્યોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતે 'કાપાગ'ની ગવર્નીંગ બોડીની ચુંટણી થતા શ્રીમતી રમાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) મહિલા અનામત બેઠક ઉપર સતત ચોથી વખત બિનહરીફ જાહેર થતા અન્ન નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, અન્ન નાગરીક પુરવઠા સચિવ શ્રીમતી સંગીતાસીંગ, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહકોની બાબતોના ડાયરેકટર પ્રકાશભાઇ મકવાણા, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહકોની બાબતોના ના.નિયંત્રક અશોકભાઇ મકવાણા તેમજ રાજયના ૪૬ ગ્રાહક સુરક્ષા મંડળોના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે.