રાજકોટ
News of Wednesday, 17th February 2021

રાજકોટ મનપામાં ૪૫ બેઠકો સાથે કોંગ્રેસનું શાસન : હાર્દિક પટેલનો વિજય વિશ્વાસ : પાણીવેરા નાબૂદ કરવા - ફ્રી પાર્કીગની યોજનાઓ માટે વચનબદ્ધ : અધિકારીઓ સરકારનો હાથો બની ગયાના આક્ષેપો

રાજકોટ : કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટમાં : પત્રકાર પરિષદમાં ૪૫ બેઠકો સાથે ભવ્ય વિજયનો વિશ્વાસ દર્શાવ્યો : ભાજપથી કંટાળેલા મતદારો હવે કોંગ્રેસનો હાથ મજબૂત બનાવશે : કોંગ્રેસ સત્તા પર આવતાની સાથે જ પાણીવેરો નાબુદ થશે, ફ્રી પાર્કીગ અને નિઃશુલ્ક અંગ્રેજી મીડીયમ સ્કુલ સહિતની યોજનાઓ અમલી બનાવાશે : સરકારી અધિકારીઓ સરકારનો હાથો બની વહીવટ કરી રહ્ના હોવાનો અને હવે આ સરકારી કર્મચારીઓને માત્ર ‘કેસરીયો ખેસ’ પહેરવાનો જ બાકી હોવાના આક્ષેપો : શહેર પ્રમુખ અને વોર્ડ નં.૧૭ના ઉમેદવાર અશોક ડાંગર કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાઈ પત્રકાર પરિષદ

(6:24 pm IST)