ભાજપમાં પાયાનાં કાર્યકરોની યોગ્ય કદર કરાઇ છે : કાનગડ
રામભાઇ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને રાજ્યસભામાં ઉમેદવાર તરીકે પસંદ થતાં પૂર્વ મેયર ઉદય કાનગડે અભિનંદન પાઠવ્યા
રાજકોટ,તા. ૧૭: રાજયસભાની ગુજરાતની ખાલી પડેલ બે સીટ પર ભારતીય જનતા પક્ષ તરફથી રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તેને આવકારતા રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ભારતીય જનતા પક્ષ દ્વારા હર હંમેશ પક્ષના પાયાના કાર્યકરો અને પક્ષને સમર્પિત લોકોની યોગ્ય કદર કરવામાં આવે છે.
શ્રી કાનગડે જણાવ્યું હતુ કે , તાજેતરમાં રાજયસભાની બે સિટો ખાલી પડેલ છે, તેના ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા રામભાઈ મોકરીયા અને દીનેશભાઈ પ્રજાપતિને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવેલ છે. રામભાઈ મોકરીયા વર્ષો થી પક્ષના એક નિષ્ઠાવાન કાર્યકર અને આગેવાન તરીકે લોક સેવા કરી રહ્યા છે, મારુતી કુરિયરનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક તેઓ ધરાવે છે. રાજયમાં કોઈ પણ આપતીના સમયમાં તેઓએ નોંધનીય સેવા કરેલ છે, તો દિનેશભાઈ પ્રજાપતિ પણ પક્ષની વિચારધારાને વરેલા સનિષ્ઠ આગેવાન છે. અંતમાં ઉદય કાનગડએ આ બંને આગેવાનોને રાજયસભામાં ઉમેદવાર તરીકે નિયુકત થવા બદલ અભિનંદન પાઠવેલ છે.