જુનાગઢના બહ્મ મહાસંમેલનની તૈયારી અર્થે રાજકોટમાં કાલે મીટીંગ
રાજકોટ : જુનાગઢ ખાતે દુર્ગા સેના આયોજીત બ્રહ્મ મહાસંમેલન તથા બ્રહ્મ ચોરીયાસીના આયોજનની તૈયારીના ભાગરૂપે સ્ત્રશકિતકરણ ઉભી કરી બ્રહ્મસમાજની દશ હજાર બહેનોને રોજગારી પૂરી પાડવાનો ઉદેશ્ય છે. બ્રહ્મ સમાજની દીકરી સ્વનિર્ભર બને તેવા પ્રયત્નો હાથ ધરાશે. આ મહાસંમેલનનને સફળ બનાવવા હેતુથી રાજકોટ ખાતે આગામી તા. ૧૮ ના સાંજે ૬ વાગ્યે નાગર બ્રાહ્મણ બોર્ડીંગ, વિરાણી ચોક ખાતે મીટીંગ યોજવામાં આવી છે. જેમાં બ્રહ્મ અગ્રણી હેમાંગભાઇ વસાવડા, જીતુભાઇ મહેતા, ભાવેશભાઇ રાજયગુરૂ, ભરતભાઇ ઓઝા, પીસીભાઇ વ્યાસ એડવોકેટ, શ્રી બક્ષી સહીતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ મીટીંગમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, કચ્છ જિલ્લાના ભુદેવ આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. સમગ્ર આયોજન માટે મોનીશભાઇ જોશી એડવોકેટ, કશ્યપભાઇ ભટ્ટ, પ્રતિક બલભદ્ર, પરશુભાઇ પંડયા, શનિ જાની, વિમલ દવે, ઉમંગ ભટ્ટ, પ્રશાંત રાજયગુરૂ, રાજા ભટ્ટ, ચિંતન વ્યાસ, જય જાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.