રાજકોટ
News of Thursday, 17th January 2019

નરસી પટોડીયાને ખોડલધામના રાજકોટના શહેર સહકન્વીનરપદેથી તુર્તમાં હટાવી દેવાશે?

દેખો ઓ દિવાનો તૂમ યે કામ ન કરો...ખોડલધામ ટ્રસ્ટ કા નામ બદનામ ના કરોની ચર્ચા...!!

રાજકોટ તા. ૧૭ :.. ગઇકાલે ભાજપની ઓપરેશન પેટા ચૂંટણીના પડઘા વોર્ડ નં. ૧૩ સહિત આખા રાજકોટમાં પડયા છે. કોંગ્રેસના ઉમેદવાર નરસીભાઇ પટોડીયા ખોડલધામ ટ્રસ્ટનાં રાજકોટ શહેરના સહ કન્વીનર હતાં. સંગઠનનું કામ કરતા હતા ત્યારે ગઇકાલની ઘટનાના અમુક બાબતે વિપરીત પડઘા પડયા છે. પાટીદાર સમાજમાં છાનાખુણે ભારે ચર્ચા છે. અને સંભવત તૂર્તમાં બેઠક મળે ત્યારે તેમને સહકન્વીનરપદેથી હટાવાશે.

ગઇકાલે કોંગી ઉમેદવાર નરસીભાઇ પટોડીયાએ ઓચિંતુ રાજીનામુ આપી ને ભાજપમાં પ્રવેશ કરતા જ  એક મોટા વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.

આજે ચોકકસ સંગઠનના આગેવાનો અનૌપચારીક રીતે મળી રહ્યાની ચર્ચા છે અને તેમાં આ મુદે જ ચર્ચાય તેમ મનાય છે. પરંતુ સત્તાવાર રીતે કોઇ વિગતો જાણવા મળતી નથી.

ચોકકસ પાટીદાર યુવાનો મોબાઇલ પર ત્થા ચર્ચા દરમ્યાન એક એવો મુદો ચર્ચી રહ્યા છે કે 'દેખો આ દિવાનો તુમ યે કામ ના કરો ખોડલધામ ટ્રસ્ટ કા નામ બદનામ ના કરો.'

વોર્ડ નં. ૧૩ ત્થા શહેરના ચોકકસ પાટીદાર વર્ગમાં આજે મુખ્ય ચર્ચા નરશીભાઇ પટોડીયાના પક્ષ પલ્ટા અને ઉમેદવારી પાછી ખેંચવાની રહી છે.

વોર્ડ નં. ૧૩ ના જ અમુક ભાજપના પાટીદાર આગેવાનો ત્થા ખોડલધામ ટ્રસ્ટના સક્રિય કાર્યકરોમં થોડી નારાજગી દર્શાવાઇ રહી છે.

ચર્ચાતી વિગતો મુજબ આ પ્રશ્ને સમાજના ચોકકસ આગેવાનોની આજે ચોકકસ સ્થળે બેઠક મળશે જેમાં આ મુદ્ે શુ કરવુ તે અંગે ચર્ચા થઇ શકે છે.

(4:07 pm IST)