રાજકોટ
News of Wednesday, 17th January 2018

ભાજપ મહિલા મોરચા દ્વારા ખોડલધામ સહીતના સ્થળોનો પ્રવાસ

 મહિલા સશકિતકરણને વેગ મળે તેવા આશયથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહિલા મોરચાનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહિલા મોરચાના અગ્રણી બીનાબેન આચાર્ય મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ સહિતના આ પ્રવાસમાં જોડાયા હતા. આજે વહેલી સવારે મહિલા મોરચાના બહેનો ખોડલધામ સહીતના ધાર્મિક સ્થળોના પ્રવાસે રવાના થયા હતા. પ્રવાસની વ્યવસ્થા મહિલા મોરચાના મહામંત્રી કીરણબેન માકડીયા, પુનીતાબેન પારેખે સંભાળી હતી.

(4:03 pm IST)