રાજકોટ
News of Thursday, 16th December 2021

ગોંડલ સંપ્રદાયના તપસ્વી રત્ના પૂ.જયોત્સનાજી મ.સ. કાળધમૅ પામ્યા: કાલે ગુણાનુવાદ સભા

રાજકોટઃગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી તથા પારસમૈયા પરિવારના પૂ.લાભુબાઈ મ.સ.,પૂ.પ્રફુલ્લાજી મ.સ.ના સુશિષ્યા ઉગ્ર તપસ્વી બા.બ્ર.પૂ.જયોત્સનાજી મહાસતિજી (પૂ.ગુરુદેવ પારસમુનિ મ.સ.ના માસી) આજ રોજ રાજકોટ ખાતે ચાર શરણાના સ્વીકાર સાથે સમાધિ ભાવે કાળ ધમૅ પામેલ છે. પૂ. જયોત્સનાબાઈ મ.સ. નો 38 વષૅ નો દીક્ષા પર્યાય હતો.

પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં સ્વ. પૂ. રંભાબાઈ મ.સ. ના પરિવારના પૂ. લાભુબાઈ મ.સ., પ્રફુલ્લાબાઈ મ.સ. ના સુશિષ્યા પૂ. જ્યોત્સ્નાબાઈ મ.સ. ની ગુણાનુવાદ સભા તા. ૧૭ ને શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે જૈન મોટા સંઘ, વિરાણી પોષધશાળા - રાજકોટ ખાતે રાખેલ છે. સવારે ૯ કલાકે ભક્તામર જાપ યોજાશે. પૂ.જયોત્સનાજી મહાસતિજીના પાર્થિવ દેહને અગ્નિ દાહ તેઓના સંસારી ભાણેજ નિકાવા નિવાસી હાલ રાજકોટ મિલનભાઈ જયંતિભાઈ મહેતાએ આપેલ.

(7:54 pm IST)