ચાર મહિના પહેલા કારની ઠોકરે ચડેલા સીટી સ્ટેશનના નુરૂદ્દીનભાઇનું મોત
૭૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધ નાના ભાઇ સાથે રહેતાં હતાં
રાજકોટ તા. ૧૫: મોરબી રોડ પર સીટી સ્ટેશન પાસે શાળા નં. ૭૭ નજીક રહેતાં મુસ્લિમ વૃધ્ધ ચાર મહિના પહેલા કારની ઠોકરે ચડી જતાં સારવાર લીધા બાદ ઘરે લઇ જવાયા હતાં. જ્યાં ગત સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન પાસે રહેતાં નુરૂદ્દીનભાઇ અસગરઅલી શેખ (ઉ.૭૦) ૨૫/૮ના સાંજે સવા સાતેક વાગ્યે ઘર નજીક ચાના થડે બેસવા માટે ગયા હતાં. દરરોજ તેઓ ત્યાં સમય પસાર કરવા જતાં હતાં. ત્યાંથી પરત ઘર તરફ જતાં હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી ઘરે લઇ જવાયા હતાં. ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. જે ચેન્નઇ રહે છે. પોતે રાજકોટમાં નાના ભાઇ મહમદહુશેન શેખ સાથે રહેતાં હતાં. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.