રાજકોટ
News of Friday, 16th November 2018

બાલ દિનની ઉજવણી

ચાચા નહેરૂની જન્મ જયંતિ ''બાલ દિને'' બાલભવનનાં બાલસભ્યો, સંસ્થાનાં માનદ્દ મંત્રી મનસુખભાઇ જોષી, હેલીબેન ત્રિવેદી, સંસ્થાનાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કિરીટભાઇ વ્યાસ દ્વારા નહેરૂજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રપ૦૦ જેટલા બાળકોને બેબી ટ્રેઇન, દેડકા રાઇડસ, ટોરાટોરા, અને સુપર ટુપરમાં વિના મૂલ્યે સહેલાણી કરાવવામાં આવી હતી. બહોળી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહીને મેળા જેવો માહોલ સર્જી દીધો હતો.

(3:55 pm IST)