પરસાણાનગરમાં બાબાતુલસીધામ ખાતે ગુરૂનાનક જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ
રાજકોટ તા. ૧૬ : પરસાણાનગર મેઇન રોડ ઉપર આવેલ બાબા તુલસીધામ મંદિરે આજથી ગુરૂનાનક સાહેબ જન્મ જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. તા. ૨૩ મી સુધી આયોજીત કાર્યક્રમો મુજબ દરરોજ સવારે પ વાગ્યે પરસાણાનગર મેઇન રોડથી હંસરાજનગર, સિંધી કોલોની, જુલેલાલ મંદિર થઇ પરત મંદિર સુધીની પ્રભાત ફેરી યોજાશે.
સાપ્તતાહીક પાઠ સાહેબ કાલે તા. ૧૭ થી સવારે ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થઇ તા. ૨૩ સુધી દરરોજ રાત્રે ૭.૩૦ થી ૯ સુધી થશે.
તા. ૨૩ ના બપોરે ૧ વાગ્યે અખંડ ભોગ સાહેબજી અને લંગર પ્રસાદ, રાત્રે ૧૦.૩૦ વાગ્યે સત્સંગ, ૧.૨૦ વાગ્યે ગુરૂનાનાક સાહેબજીનો પ્રકાશ ઉત્સવ (ડોલી પાવન પ્રકાશ) ધામ ધુમથી ઉજવાશે. ભાવિકોએ દર્શન સત્સંગનો લાભ લેવા મહંત શરણદાસ (કુંદનદાસ) શિતલદાસ ઉદાશી શ્રી ગુરૂનાનાક મંદિર બાબા તુલસીધામ પરસાણાનગર (મો.૯૯૨૪૧ ૬૦૯૧૦) એ જાહેર અનુરોધ કરેલ છે.