રાજકોટ
News of Friday, 16th November 2018

વિરમાયા પ્લોટમાં પુત્રીના વિયોગમાં માતા ગીતાબેન જાદવે ફાંસો ખાધો : સારવારમાં

ધો.૧૦મા ઓછા ટકા આવતા દિકરીએ આપઘાત કર્યો હતો

રાજકોટ, તા.૧૬ : વિરમાયા પ્લોટમાં પુત્રીના વિયોગમાં વણકર મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર હેઠળ ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વિરમાયા પ્લોટમાં રહેતા ગીતાબેન રોહીતભાઇ જાદવ (ઉ.વ.૪૦) નામના વણકર મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. મહિલાને લટકતી જોઇ પરિવારજનોએ તેને તાકીદે સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર બાબુભાઇએ તપાસ આદરી હતી. ગીતાબેનના પતિ રોહિતભાઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. ગત તા. ૩૦/૬ના રોજ ધોરણ-૧૦માં ઓછા ટકા આવતા તેની દીકરી અવનીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

પુત્રીના મૃત્યુ બાદ ગીતાબેન સુમસુમ રહેતા હતા, તેથી તેના વિયોગમાં તેણે આ પગલુ ભર્યું હોવાનું ખૂલ્યું હતું.

(3:13 pm IST)