રાજકોટ
News of Friday, 16th November 2018

રાજકોટમાં જીઇબીનો ડીસેમ્બરમાં ૧૧-૧૩ મીએ ખાસ લોકદરબાર

રાજકોટ તા. ૧૬ : ગ્રાહકોની ફરિયાદ/રજુઆતોને સમયમર્યાદામાં નિરાકરણ થાય અને પ્રજાને સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ વિભાગીય કચેરી કક્ષાએથી થાય તે હેતુથી પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની વિભાગીય કચેરીમાં ''લોક દરબાર'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છ.ે

આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી તરીકે કાર્યપાલક ઇજનેરશ્રી હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ કરશે અને જરૂર જણાયે યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપશે.

કાર્યક્રમમાં નીતિ વિષયક અને કોઇપણ કોર્ટમાં પડતર હોય તેવા પ્રશ્નો સિવાયના ગ્રાહકોને સ્પર્શતા પ્રશ્નો જેવા કે નામ ટ્રાન્સફર વગેરે અંગે જરૂરી આધારો સાથે લેખિતમાં સંબંધીત નાયબ ઇજનેરશ્રી, પેટા વિભાગીય કચેરીએ લોક દરબારના ૦૮-દિવસ પહેલા પહોચાડવાના રહેશે.

વિભાગીય કચેરી 

તારીખ

સમય

સ્થળ

રાજકોટ શહેર

૧૩/૧ર/ર૦૧૮

બપોરે ૪ વાગ્યે

વિભાગીય કચેરી-૧, જુનુ પાવર હાઉસ, હાઉસ કાવેરી હોટેલ પાસે

વિભાગ-૧

 

 

 

રાજકોટ શહેર

૧૩/૧ર/ર૦૧૮

બપોરે ૪ વાગ્યે

વિભાગીય કચેરી-ર, જુનું પાવર હાઉસ કાવેરી હોટેલ પાસે

વિભાગ-ર

 

 

 

રાજકોટ શહેર

૧૧/૧ર/-ર૦૧૮

બપોરે ૪ વાગ્યે

વિભાગીય કચેરી-૩, લક્ષ્મીનગર, નાનામવા મેઇન રોડ

વિભાગ-૩

 

 

 

(3:11 pm IST)