રાજકોટ
News of Friday, 16th November 2018

આજીડેમ પાસે અનમોલ પાર્કના મહાવીરસિંહ ચોહાણનો ઝેરી ટીકડીઓ પી આપઘાત

મગજ ભમતો'તો એટલે પગલુ ભર્યુઃ ૨૦ વર્ષના દિકરાના મોતથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્કમાં રહેતાં મહાવીરસિંહ કરણસિંહ ચોૈહાણ (ઉ.૨૦) નામના યુવાને  સાંજે સાડા આઠેક વાગ્યે ઘર નજીક પટમાં ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મહાવીરસિંહે ઘર નજીક પટમાં ઝેર પી લેતાં જાણ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ગોંડલ વધુ સારવાર માટે લઇ જવામાં આવેલ. પરંતુ ત્યાં રાત્રીના મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગોંડલ પોલીસે પ્રાથમિક કાગળો કરી આજીડેમ પોલીસને જાણ કરી છે.

આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને ગેરેજમાં કામ કરતો હતો. કેટલાક દિવસથી મગજ ભમતો હોવાથી કંટાળીને આમ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. યુવાન દિકરાના મોતથી ચોૈહાણ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:05 pm IST)