નાનામવા આવાસના કવાર્ટરમાં ખ્રિસ્તી મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ૯ ઝડપાયા
કવાર્ટર માલીક નીલોફર તથા મહેશ, નસીમ, મનીષા, પ્રભા, ઉર્વશી, જાગૃતી, રણજીતસિંહ તથા ઉદયની ધરપકડ
રાજકોટ તા ૧૬ : નાના મવા રોડ પર વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં ક્રિશ્ચન મહિલા સંચાલીત જુગારધામ પર તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજય ચોૈધરી, ડીસીપી રવી મોહન સૈની, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ. મેડમ અને જયદિપસિંહ સરવૈયાની સુચનાથી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી. ડામોર, એ.એસ.આઇ. હર્ષદસિંહ, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ, ઉમેશભાઇ, ભગીરથસિંહ, દિપલબેન તથા રૂપેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે એ.એસ.આઇ. હર્ષદસિંહને મળેલી બાતમીના આધારે નાનામવા રોડ પર વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં બ્લોક નં.૧૭, કવાર્ટર નં.૧ માં રહેતી નીલોફર જોકશનભાઇ ક્રિશ્ચન (ઉ.વ.૩૫) ના કવાર્ટરમા઼ દરોડો પાડી કવાર્ટર માલીક નીલોફર તથા કવાર્ટર નં.૧૮ ના મહેશ વિનુભાઇ વાઘેલા (ઉ.વ.૩૫), કવાર્ટર નં.૯ ની નસીમ મુશાભાઇ કુરેશી (ઉ.વ.૪૪), કવાર્ટર નં.૧૨ ની મનીષા મહેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.૨૫), કવાર્ટર નં.૧૭ની પ્રભા બળવંતરાય (ઉ.વ.૫૦), કવાર્ટર નં.૧૫ ની ઉવર્શી જયદેવભાઇ રાઠોડ (ઉ.વ.૨૫), કવાર્ટર નં.૧૯ જાગૃતિ પ્રદીપભાઇ બારૈયા (ઉ.વ.૨૪), કવાર્ટર નં.૧૯ ના રણજીતસિંહ દેસળજીભાઇ ગોહીલ (ઉ.વ.૩૬) અને કવાર્ટર નં.૨૫ ના ઉદય ચંદુભાઇ ગોહેલ (ઉ.વ.૩૦) ને પકડી લઇ રૂા ૧૬,૧૩૦/- ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.