ઉમરાળીથી મોટાદડવા સુધીનો રસ્તો બનશે ટકાટક : ગ્રામ સડક યોજના તળે ખાતમુહુર્ત
રાજકોટ તા.૧૬ : રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા ગ્રામ સડક યોજના હેઠળ ફાળવાયેલ બજેટની જોગવાઇ મુજબ રાજકોટ તાલુકાના ઉમરાળી અને ગોંડલી તાલુકાના મોટાદડવાને જોડતા માર્ગને આવરી લેવાતા આ માર્ગ ટકાટક તૈયાર કરવાની કામગીરી આરંભવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.
આ કામનું ખાતમુહુર્ત માજી સરપંચ અને આહીર સમાજના આગેવાન પ્રભાતભાઇ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાની ઉપસ્થિતીમાં માજી ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ તકે ઉમરાળી ગામના આગેવાનો સરપંચ સુરેશભાઇ જળુ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનુભાઇ ચાવડા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મેરામભાઇ જળુ, મોટા દડવાના સરપંચ ભુપતભાઇ, હલેન્ડાના સરપંચ વનરાજભાઇ ગરૈયા, જિલ્લા ભાજપ આગેવાનો મનુભાઇ લાવડીયા, ઉમરાળી ગ્રામ પંચાયતના સભ્યો મનુભાઇ ડવ, મયુરભાઇ ડવ, ભરતભાઇ ચાવડા, તેજાભાઇ જળુ, મયુરભાઇ વી. ડવ, સુરેશભાઇ કુવાડીયા, હિતેષભાઇ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રભાતભાઇ ચાવડાના નેજા હેઠળ ગામ લોકો, કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૬)