રાજકોટ
News of Tuesday, 16th October 2018

હૃદયના ઓપરેશન માટે રાજકોટ આવેલા વારાણસીના મહિલાનું મોત

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં માનવ સેવા ટ્રસ્ટમાં પતિ-પુત્ર સાથે રોકાયા'તાઃ હાર્ટએટેક આવી ગયો

રાજકોટ તા. ૧૬: વારાણસીથી રાજકોટ સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે આવેલા મહિલાને છાતીમાં દુઃખાવો ઉપડતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વારાણસીના મુરેરી ગામે રહેતાં રાજકુમારીબેન દેવનારાયણ રામ (ઉ.૪૦) નામના મહિલાને હાર્ટનું ઓપરેશન કરાવવાનું હોઇ પુત્ર અને પતિ સાથે રાજકોટ આવ્યા હતાં અને અહિ ભકિતનગર સ્ટેશન પ્લોટમાં માનવ સેવા ટ્રસ્ટ ખાતે રોકાયા હતાં. અહિ સાંજે સાતેક વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. સાજીદભાઇ ખેરાણી અને અલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)