અક્ષરનિધિ શરાફી મંડળીનો ત્રીજા વર્ષમાં પ્રવેશ : સભાસદોને ભેટ વિતરણ
રાજકોટ : કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ અક્ષર શરાફી સહકારી મંડળીનો ત્રીજા વર્ષમાં પ્રવેશ થતા ડીલાઇટ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સભાસદ ભેટ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂ. વિશ્વેશતિર્થ સ્વામી તથા પૂ. નિર્દોષમુર્તિ સ્વામીએ ઉપસ્થિત રહી દીપપ્રાગટયવિધિ કરી હતી. આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ અર્જુનભાઇ ખાટરીયા, ભાનુભાઇ મેતા, ધીરૂભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ હેરભા તેમજ બેંકીંગ ક્ષેત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી મંડળીના ચેરમેન રાજેશભાઇ એસ. ચાવડા (મો.૯૪૨૭૨ ૨૨૨૯૫) તથા એમ. ડી. હરેશભાઇ એસ. ચાવડા (મો.૯૬૮૭૬ ૨૧૭૨૪) ને શુભેચ્છા પાઠવી હતી. આ તકે મંડળીના સભાસદોને ભેટ વિતરણ કરાયુ હતુ. તેમજ સંસ્થાના ફીકસ ડીપોઝીટર્સ, મંથલી ડીપોઝીટર્સ, ડેઇલી ડીપોઝીટસ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારનું આ તકે સન્માન કરાયુ હતુ. (૧૬.૩)