રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નવામંત્રી મંડળમાં રાજકોટના યુવા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીને અભિનંદન પાઠવતા પદાધિકારીઓ
રાજકોટ, તા. ૧૬ : મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, તાજેતરમા ંજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની નિયુકિત કરવામાં આવેલ. આજે રાજ્યના નવા મંત્રીમંડળની રચના કરવામાં આવેલ છે ત્યારે આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના આઠ ધારાસભ્યોને સ્થાન મળેલ છે. જેમાં રાજકોટ શહેરમાંથી ચુંટાયેલા યુવા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને પણ સ્થાન આપેલ છે તે બદલ હ્રદયપુર્વક અભિનંદન તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી મંડળ પ્રત્યે આભાર પ્રદર્શીન કર્યો હતો. ઉપરાંત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષના શાસનકાળમાં રાજ્યના વિકાસની હારમાળા સર્જેલ તેજ રીતે નવનિયુકત મુખ્યમંત્રીશ્રી તથા નવા મંત્રીમંડળ પણ રાજ્યની વિકાસ ગાથાને આગળ વધારી રાજ્યના તમામ લોકોની આશા-આકાંક્ષા પુરી કરશે તેવો વિશ્વાસ પદાધિકારી શ્રીઓએ વ્યકત કરેલ હતો.