રાજકોટ
News of Monday, 16th September 2019

સીવીલ સર્વીસીસની પરીક્ષાની તાલીમ માટે યુનિવર્સિટીમાં ભવનનું વિજયભાઇના હસ્તે ઉદ્ઘાટન

કોર્ડીનેટર તરીકે સીન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી : ૧૭ મીથી પ્રવેશ : ઓનલાઇન ફોર્મ ભરાશે

રાજકોટ, તા. ૧૬ : ભારત દેશમાં સૌથી અગત્યની ગણાતી સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ માટે સમગ્ર દેશમાંથી તાલીમ માટે યુવાનો દિલ્હી જતા હતા. ગુજરાતના યુવાનોમાં કૌવત, હોશીયારી અને ખમીર રહેલું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના યુવાનોને સિવિલ સર્વિસીસ જેવી મહત્વની પરીક્ષાઓની તાલીમ માટે દિલ્હી જવું ન પડે તેવા શુભ ઉદ્ેશ્યથી સૌરાષ્ટ્ર યુનિવીર્સટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO)ના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ... ભવન કાર્યરત થવા જઇ રહ્યું છે. આ ભવનને કાર્યરત કરવા માટેનું સંકલન/વ્યવસ્થા સિન્ડીકેટ સભ્યશ્રી, ડો. મેહુલભાઇ રૂપાણીએ કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન  (JIO)ના સંયુકત ઉપક્રમે શરૂ થનાર સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારી માટેની તાલીમ વર્ગોનું નિઃશૂલ્ક આયોજન કરવામાં આવેલ છે. નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન આગામી તા. ર૯ ને રવિવારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે.

એડવાઇઝ કમિટી ડો. નીતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેશાણી, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નિલેસભાઇ સોની, કુલ સચિવશ્રી, મુખ્ય હિસાબી અધિકારીશ્રી ઓડીટરશ્રી યુનિવર્સિટી એન્જીનીયરશ્રી ડાયરેકટરશ્રી, કોમ્પ્યુટર સેન્ટર, ડો. નીકેશભાઇ શાહ, ડો. રાજેન્દ્રભાઇ ચોટલીયા, ડો. કલ્પનાબેન માણેક, ડો. દિપકભાઇ પટેલ, ડો. ભરતભાઇ ખેર, ડો. સચિનભાઇ પરમાર, ડો. તૃપ્તિબેન વ્યાસ, વી.એચ. ડાંગશીયા, શ્રીમતી ક્રિષ્નાબેન સોલંકી, હિતેશભાઇ જોશી, આશિષ એમ. વ્યાસ પસંદ થયા છે. (૯.પ) 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શરૂ થનાર CCDC-UPSCભવનમાં સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તાલીમ માટેના કોચીંગના વર્ગમાં જોડાવા માટેની પ્રવેશ પરીક્ષાનું શેડયુલ

*પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન

તા. ૧૭-૯-ર૦૧૯થી

ફોર્મની તારીખ

તા. ર૭-૯-ર૦૧૯

*CCDC-UPSCભવનનું

 

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન

તા.ર૯-૯-ર૦૧૯

પ્રવેશ પરીક્ષાની તારીખ

તા.૩૦-૯-ર૦૧૯

પ્રવેશ પરીક્ષાની પરિણામની તારીખ

તા. ૧-૧૦-ર૦૧૯

ઇન્ટરવ્યુંની તારીખ

તા. ર-૧૦-ર૦૧૯થી

 

તા. ૪-૧૦-ર૦૧૯

ફાઇનલ મેરીટની તારીખ

તા. પ-૧૦-ર૦૧૯

તાલીમ વર્ગોની શરૂઆત

તા. ૭-૧૦-ર૦૧૯

(4:01 pm IST)