News of Monday, 16th September 2019
રથયાત્રાનું સ્વાગત કરતું દાઉદી વ્હોરા સમાજ
રાજકોટઃ જૈન તપગચ્છ સંઘના સુપાર્શ્વનાથ દાદાની ૧૯૩મી રથયાત્રા શહેરના વિવિધ માર્ગ પર ફરેલી હતી, જેમા મણીયાર દેરાસર ખાતે દાઉદી વ્હોરા સમાજ (અંજુમને હાતીમી કમીટી)ના લોકોએ આ રથ યાત્રાનું સ્વાગત કરેલ હતું, જેમા હસનૈનભાઈ જોહર કાર્ડસવાલા, શબ્બીરભાઈ કાચવાલા, અબ્બાસભાઈ બાટા, શાકીરભાઈ કાચવાલા ઉપસ્થિત રહેલ.
(3:56 pm IST)