News of Monday, 16th September 2019
ગજેન્દ્રસિંહ શેખાવતનું રાજકોટમાં ઉષ્માભેર સ્વાગત
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં એક વ્યાપક જનજાગૃતિ અભિયાન અને સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રાજકોટ મહાનગર ખાતે પધારતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ના.ઠા. માંધાતાસિંહ જાડેજા સહીતના અગ્રણીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
(3:51 pm IST)