રાજકોટ
News of Tuesday, 16th August 2022

શ્રી વાસંગી નાગદેવતાના મંદિર ખાતે નાગપાંચમની ઉજવણીઃ બટુક ભોજન યોજાયું

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર અંબિકા પાર્કના ગેઇટ પાસે આવેલા શ્રી વાસંગી નાગદેવતાના મંદિરે છેલ્લા ૩૬ વર્ષથી આસપાસના વેપારી મિત્ર મંડળ દ્વારા નાગપાંચમની ભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા-અર્ચના સાથે બટુક ભોજનનું પણ આયોજન થાય છે. રૈયા રોડ હનુમાન મઢી વેપારી મિત્ર મંડળના આ સફળ આયોજનનો મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો.

(3:14 pm IST)