રાજકોટ
News of Monday, 16th July 2018

ગ્રેટર ચેમ્બર દ્વારા મ્યુ. પદાધિકારીઓનું સન્માન

 મ્યુ. કોર્પોરેશનમાં નવનિયુકત મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા તેમજ પદાધિકારીઓ, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડની નિયુકિત થતા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ પ્રમુખ ધનસુખભાઇ વોરા, માનદ સહમંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, માનદ સહ ખજાનચી વસંતભાઇ લીંબાસીયાએ રૂબરૂ મુલાકાત લઇ અભિવાદન કરેલ. તેમજ સાથો સાથ લક્ષ્મીનગર રેલ્વે અંડરબ્રીજ નાલુ પહોળુ કરવા અંગે તથા શહેરમાં ફેલાતા પ્રદુષણ રોકવા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના બદલે ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલી બનાવવા સુચનો કરેલ.  (૧૬.૪)

(4:28 pm IST)